ભવ્ય ભૂમિ

સોહામણા શ્રી શત્રુંજય નદીને તીરે, રત્નોથી જેના વધામણા થાય છે તેવા તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થના પૂર્વભાગની તળેટીએ, શ્રી જીવાપુર ગામના સીમાડે એક સાથે ૬૮૦૪ ભાગ્યશાળીઓ મંત્રાધિરાજ શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવા દ્વારા પોતાનામાં પ્રચ્છન્ન રીતે ધરબાયેલા પંચપરમેષ્ઠિના સ્વરુપને પ્રગટ કરી શકે, તે માટે સમવસરણ સહિત શ્રી શત્રુંજય નવકારધામનું આયોજન નિર્માણાધિન છે.

શેત્રુંજી નદીએ નાહીને, મુખ બાંધી મુખ કોષ, દેવ યુગાદિ પૂજીએ, આણી મન સંતોષ

શ્રી નવકાર સમવસરણ ધાામ શ્રી શત્રુંજય તીર્થની તળેટીથી ૫ કિ.મી. ના અંતરે, શ્રી હસ્તગિરિ તીર્થ તરફ જતા જીવાપુર ગામ પાસે શ્રી શત્રુંજયની પૂર્વભાગની તળેટીમાં આવેલું છે. જયાંથી મેઘનાદ મંડપ કે નંદીવર્ધન પ્રસાદ તરીકે પ્રખ્યાત તેવા ૩૫૦૭ જિનાલયોમાં શિરમોર મૂળનાયક શ્રી આદિનાથ દાદાના દરબારના મુખ્ય જિનાલયના શિખરના દર્શન થાય છે, તેમજ આ નવકારધામના પૂર્વ ભાગમાં ઈન્દ્ર મહારાજાએ પોતાના વજથી જેનું અવતરણ કરેલું છે અને જેના દર્શન પણ દુર્લભ છે તેવી શત્રુંજ્ય નદીનો કિનારો આવેલો છે. જ્યાંથી જયણાપૂર્વક સ્નાન કરીને આ તીર્થાધિરાજની યાત્રા કરવાનું શાસ્ત્રમાં કથન છે. આ પુણ્યભૂમિ પરથી શ્રી કંદબગિરિ તીર્થ અને શ્રી હસ્તગિરિ તીર્થના દર્શન થાય છે. આ ટ્રસ્ટ દ્વારા લગભગ ૧૫ એકર જમીન પ્રાપ્ત કરવામાં આવી છે. તેમાં જિનાલય સમેત શ્રી નવકાર સમવસરણનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ દિવ્યભૂમિમાં ૧,૨૦,૦૦૦ સ્કેવર ફીટમાં પથરાયેલું આ વિશાળ સંકુલ શક્ય તેટલું જલદી પરિપૂર્ણ થાય તેવી અમારી ભાવના છે.

અન્ય આકર્ષણો

શ્રી શત્રુંજય નવકારધામ - ઈતિહાસ

  • શ્રી જીજ્ઞેશભાઈ ને પૂજ્ય સાધ્વીશ્રી અનુપમાશ્રીજી મહારાજ સાહેબ ના જીવન ચરિત્રથી પ્રભાવિત થઈને નવકાર ધામ બનાવાનો વિચાર આવ્યો.
  • તેઓ આ વિચાર લઈને શ્રી અરવિંદભાઈ અને શ્રી સંજુભાઈ ને મળ્યા, તેમને સાથે મળીને નવકાર મંત્ર ના જાપ માટે એક સાથે ઘણા બધા ભાગ્યશાળીઓે બેસીને જાપ કરી શકે એવું સંકુલ શ્રી શત્રુંજય નવકારધામ બનાવવા સપનું સાધ્યું.
  • આ સપનું સાકાર કરવા તેઓએ સૌ પ્રથમ પાલીતાણા નજીક, શ્રી શેત્રુંજય તીર્થની તળેટી થી ફક્ત ચાર કિલોમીટર ના અંતરે શ્રી હસ્તગીરી તીર્થ તરફ જતા જીવા પુર ગામ પાસે વિશાળ જગ્યા આશરે બાર એકર આઉટ રાઈટ ખરીદી લીધી.
  • શ્રી અરવિંદભાઈ , શ્રી સંજુભાઈ અને શ્રી જીજ્ઞેશભાઈ ને સાચા દીર્ઘ દ્રષ્ટી વાળા વ્યક્તિઓની જરૂર હતી. તેમને શ્રી નિમેશભાઈ , શ્રી શૈલેષભાઇ અને શ્રી કુલીનભાઈ નો સંપૂર્ણ સાથ અને સહકાર મળ્યો. બધાના સાથ અને સહકાર થી મેનેજમેન્ટ ની ટીમ તૈયાર થઈ ગઈ અને નવકાર ધામનો પ્રોજેક્ટ શરૂ થઈ ગયો.
  • પ્રોજેક્ટ નું પ્લેનીંગ આજે ઘણું આગળ વધી ગયું છે અને બાંધકામ શરૂ થઈ ગયું છે. જૈન શાસનની ઘણી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ શ્રી અતુલભાઈ શાહ (દાઢી) , શ્રી બકુલભાઈ ઝવેરી, શ્રી રમેશભાઈ મુથા (ચેન્નાઇ), શ્રી અમિશભાઈ ઝવેરી (દુબઇ) અને શ્રી પરેશભાઈ સંઘવી (બેલજીયમ) આજે શ્રી શત્રુંજય નવકારધામ માં જોડાયા છે અને આશા છે કે ખૂબ જલ્દી શ્રી શત્રુંજય નવકારધામ સમવસરણ મંદિર નું નિર્માણ થશે.